એપશહેર

વિદેશી ધરતી પર ભારતીય તિરંગાનું અપમાન, પાકિસ્તાનીઓ સામે એકલો ઊભો રહ્યો ભારતીય

જર્મનીના ફ્રેન્કફર્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક ભારતીય કેટલાક પાકિસ્તાની અને ખાલિસ્તાન સમર્થકોનો એકલા સામનો કરતા દેખાઈ રહ્યો છે.

I am Gujarat 18 Aug 2020, 3:26 pm
જો તમે સોશિયલ મીડિયા યુઝ કરો છો તો કદાચ એક વીડિયો જોયો હશે, જેમાં એકલો ભારતીય પાકિસ્તાનીઓ સાથે બાખડી પડે છે. આ ઘટના 15મી ઓગસ્ટે એટલે કે સ્વતંત્રતા દિવસ પર જર્મનીના ફ્રેન્કફર્ટમાં બની હતી. પાકિસ્તાન અને ખાલિસ્તાનના સમર્થન કેટલાક ઉપદ્રવી ભારત અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિરોધમાં આપત્તિજનક સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. ત્યાં ઉપસ્થિત એક ભારતીયથી આ સહન ન થયું અને તે ભીડની સામે ઊભો રહી ગયો. આ વ્યક્તિનું નામ પ્રશાંત વેંગુર્લેકર છે અને તે ફ્રેન્કફર્ટમાં જ રહે છે.
I am Gujarat the man who raise voice against pakistan khalistan supporters in frankfurt
વિદેશી ધરતી પર ભારતીય તિરંગાનું અપમાન, પાકિસ્તાનીઓ સામે એકલો ઊભો રહ્યો ભારતીય



​'મેં તેમને કહ્યું, બાપ બાપ હોય છે'

પ્રશાંત મુજબ, તે ફ્રેન્કફર્ટમાં સ્વતંત્રતા દિવસ ઉજવવા ગયા હતા, જ્યાં કેટલા લોકો ભારત વિરુદ્ધ પ્રદર્શન કરતા દેખાયા. પ્રશાંતે થોડા સમય માટે વીડિયો રેકોર્ડ કર્યો, પરંતુ બાદમાં તેને અપશબ્દો કહેવામાં આવ્યા. પાકિસ્તાની સતત ભારત તથા પીએમ મોદી માટે ખરાબ શબ્દોનો પ્રયોગ કરી રહ્યા હતા. એક સમય તો તેમણે પ્રશાંત સાથે મારપીટ કરવાનો પણ પ્રયાસ કર્યો. એકવા હોવા છતાં પ્રશાંત ત્યાં જ ઊભો રહ્યા અને કહ્યું, બાપ બાપ હોય છે. તેમનો દાવો છે કે એક પ્રદર્શનકારીએ તેમના હાથમાંથી તિરંગો છીનવીને ફાડી નાખ્યો.

15મી ઓગસ્ટે જર્મનીમાં પાકિસ્તાનીઓની રેલી

​કોણ છે પ્રશાંત વેંગુર્લેકર?

પ્રશાંત વ્યવસાયે સિવિલ એન્જિનિયર છે અને જર્મનીની સરકાર માટે કામ કરે છે. તેઓ છેલ્લા 10 વર્ષોથી જર્મનીમાં રહે છે. ટ્વિટર પર તેમણે પોતાની લોકેશન માઈન્જ શહેર નાખી છે, જે ફ્રેન્કફર્ટનો ભાગ છે. તેઓ સ્વતંત્રતા દિવસના અવસરે ફ્રેન્ડફર્ટ ગયા હતા, જ્યાં તેમનો સામનો ઉપદ્રવીઓ સાથે થયો. હવે 'ભારત માતાના ભક્ત' બતાવનારા પ્રશાંતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

​શા માટે ગુસ્સામાં હતા પાકિસ્તાની?

પ્રશાંતે અમારી સહયોગી ચેનલ ટાઈમ્સ નાઉને જણાવ્યું કે, 2019 બાદથી, ખાસ કરીને આર્ટિકલ 370 ખતમ કર્યા બાદથી જ તેમને ખબર ન પડી કે કાશ્મીર મુદ્દો કેવી રીતે હેન્ડલ કરે. તેમણે વધારે પ્રદર્શન કરવાના શરૂ કર્યા પરંતુ ઈન્ટરનેશનલ કોમ્યુનિટીમાં તેમને કોઈ પૂછતું નથી. તેમની પ્રાસંગિકતા ખતમ થઈ ગઈ. પ્રશાંતે કહ્યું કે, તે પ્રદર્શનકારીઓને સમજાવી રહ્યા હતા કે, 'શાંતિથી જતા રહો કારણ કે દુનિયા આ જ ઈચ્છે છે. નફરત ફેલાવવાનો કોઈ મતલબ નથી.'

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો