બેઈજીંગ: ચીનના થિંક ટેન્કના એક એક્સપર્ટે રવિવારે કહ્યું કે, જે રીતે ભૂતાન તરફથી સિક્કિમ સેક્ટરના ડોકલામ વિસ્તારમાં ચીની સેનાને ભારતીય સેના રોકે છે તો તે જ લોજીક પ્રમાણે, પાકિસ્તાનના આગ્રહ કરવા પર કાશ્મીરમાં ત્રીજા દેશની સેના ઘુસી શકે છે. ચીન વેસ્ટ નોર્મલ યૂનિવર્સિટીમાં ભારતીય રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર લાંગ જિંગચુને ગ્લોબલ ટાઈમ્સમાં લખેલા પોતાના આર્ટિકલમાં કહ્યું છે કે, જો ભારતને ભૂતાનના વિસ્તારોની સુરક્ષાનો આગ્રહ કરવામાં આવે છે તો તે તેના સ્થાપિત ક્ષેત્ર સુધી સીમિત હોઈ શકે છે, વિવાદિત ક્ષેત્ર માટે નહીં. આર્ટિકલમાં આગળ લખવામાં આવ્યું છે કે, જો ભારતના લોજીક પ્રમાણે જોવા જઈએ તો, જો પાકિસ્તાન સરકાર આગ્રહ કરે તો કોઈ ત્રીજા દેશની સેના ભારતના વિવાદાસ્પદ ક્ષેત્ર કાશ્મીરમાં ઘુસી શકે છે. ચીનના મીડિયાએ ડોકલામ વિવાદ પર ભારતની ટીકા કરતાં અનેક આર્ટિકલ પ્રકાશિત કર્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતના વિદેશ મંત્રાલય તરફથી 30 જૂનના રોજ જાહેર કરવામાં આવેલા નિવેદનને ટાંકીને આર્ટિકલમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય સૈનિકોએ ભૂતાનની મદદના નામે ચીનના ડોકલામ વિસ્તારમાં પ્રવેશ કર્યો, પણ ઘુસણખોરીનો હેતુ ભુતાનનો ઉપયોગ કરીને ભારતની મદદ કરવાનો છે.
'..તો કાશ્મીરમાં ઘુસી શકે છે ચીનની સેના', ચીનની ધમકી
I am Gujarat 10 Jul 2017, 9:17 am