એપશહેર

તુર્કીમાં ત્રણ મહિના માટે કટોકટીની ઘોષણા

I am Gujarat 21 Jul 2016, 10:14 am
અંકારા: તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયીપ એદુર્વાએ ત્રણ મહિના કટોકટીની જાહેરાત કરી છે. તેમણે ગયા અઠવાડિયે થયેલા સત્તાપરિવર્તનના પ્રયત્ન પાછળ જવાબદાર સમૂહને શોધીને તેમનો ખાત્મો કરવાનો સંકલ્પ કર્યો છે. રાષ્ટ્રપતિએ તેમના ક્ટ્ટર દુશ્મન અને અમેરિકામાં રહેનારા ઈસ્લામી ધર્મગુરુ ફતહુલ્લાહ ગુલેનના અનુયાયીઓના આ પ્રયત્ન માટે જવાબદાર ઠેરવ્યા છે.
I am Gujarat turkeys erdogan declares state of emergency after coup attempt
તુર્કીમાં ત્રણ મહિના માટે કટોકટીની ઘોષણા


આ ઘટના બાદ લગભગ 50,000 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને શંકાસ્પદ અધિકારીઓને તેમના પદ પરથી ખસાવી દીધા છે. એર્દુવાએ અંકારામાં રાષ્ટ્રપતિ ભવનથી કહ્યું કે, આતંકવાદી સમૂહના તમામ તત્વોને સમાપ્ત કરવા માટે કટોકટીની સ્થિતી જાહેર કરવાની જરુર હતી.

જો કે આ પગલું લેવાને કારણે સરકારની સુરક્ષા સંબંધિત શક્તીઓ વધી જશે, પરંતુ તેમણે લોકતંત્ર સાથે કોઈ પણ સમજુતી ના કરવાનો સંકલ્પ કર્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો