એપશહેર

ડેનિયલ પર્લના હત્યારાને જેલમાંથી મુક્ત કરી રહ્યું છે પાકિસ્તાન, અમેરિકાએ આપી ચેતવણી

અલકાયદાના આતંકી દ્વારા અમેરિકન પત્રકાર ડેનિયલ પર્લનું 2002મા અપહરણ કર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હતી

I am Gujarat 25 Dec 2020, 11:03 pm
અમેરિકન પત્રકાર ડેનિયલ પર્લના હત્યારાને જેલમાંથી મુક્ત કરવાના પાકિસ્તાની કોર્ટના આદેશ અંગે ટ્રમ્પ વહિવટી તંત્ર દ્વારા આકરી પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. અમેરિકાના વિદેશ વિભાગે કહ્યું છે કે આ સમાચાર જાણ્યા બાદ અમે ઘણા જ ચિંતિત છીએ. અમેરિકન વિદેશ વિભાગે ત્યાં સુધી દાવો કર્યો છે કે અમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે આરોપીઓને હાલમાં મુક્ત કરવામાં આવ્યા નથી. મળતા અહેવાલ પ્રમાણે ડેનિયલ પર્લનું અપહરણ કરીને તેની હત્યા કરનારા અલકાયદાના નેતા અહમદ ઉમર સઈદ શેખ અને તેના ત્રણ અન્ય સાથીઓને પાકિસ્તાની જેલમાંથી શનિવારે મુક્ત કરવામાં આવશે.
I am Gujarat daniel pearl


પાકિસ્તાને અમને વિશ્વાસ અપાવ્યો છેઃ અમેરિકા
અમેરિકન વિદેશ વિભાગે ટ્વિટ કરીને કહ્યું છે કે અમે ડેનિયલ પર્લની હત્યા માટે જવાબદાર ઘણા આતંકવાદીઓને મુક્ત કરવાના સિંધ હાઈકોર્ટના 24 ડિસેમ્બરના આદેશના સમાચારથી ચિંતિત છીએ. અમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે આરોપીઓને હાલમાં મુક્ત કરવામાં આવશે નહીં. અમેરિકા આ મામલા પર નજર રાખતું રહેશે અને સાહસિક પત્રકારના રૂપમાં પર્લની વિરાસતનું સન્માન કરતા તેના પરિવારનું સમર્થન કરવાનું જારી રાખશે.

ડેનિયલ પર્લ મામલે અમેરિકાનું આકરુ વલણ
નોંધનીય છે કે અમેરિકે ડેનિયલ પર્લ માટે ન્યાય મેળવવા માટે પાકિસ્તાન પર દબાણ કરતું રહ્યું છે. આ દરમિયાન પર્લના પરિવારે સિંધ હાઈકોર્ટના નિર્ણયની આકરી ટીકા કરી છે. સમાચાર પત્ર એક્સપ્રેસ ટ્રિબ્યુનના જણાવ્યા પ્રમાણે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પાકિસ્તાનની હાઈકોર્ટ પાસેથી તેમના પુત્રને ન્યાય મળશે. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલના સાઉથ એશિયા બ્યૂરોના વડા ડેનિયલ પર્લનું 2002મા અપહરણ કરવામાં આવ્યું હતું. બાદમાં તેનું માથુ કાપીને તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના ત્યારે બની હતી જ્યારે તેઓ પાકિસ્તાનમાં ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ અને આતંકી સંગઠન અલકાયદા વચ્ચેના સંબંધોના સમાચાર અંગે કામ કરી રહ્યા હતા.

શનિવારે જેલમાંથી બહાર આવશે તમામ દોષિતો
અલકાયદા આતંકી અહમદ ઉમર સઈદ શેખ અને તેના ત્રણ સાથીઓની મુક્તિના આદેશ બાદ શનિવારે જેલની બહાર આવશે. પાકિસ્તાનની અદાલતે હત્યાના મામલે દોષિત ઠેરવવામાં આવેલા શેખ અને તેના ત્રણ સાથી ફહદ નસીમ, સલમાન સાકિબ તથા શેખ આદિલને ગુરૂવારે જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. સિંધ હાઈકોર્ટના જસ્ટિસની બે સભ્યોની બેન્ચે સુરક્ષા એજન્સીઓ શેખ તથા અન્ય આરોપીઓને કોઈ પણ પ્રકારની કસ્ટડીમાં નહીં રાખવાનો આદેશ આપ્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો