એપશહેર

ચાબહાર રેલ પ્રોજેક્ટમાંથી ભારતને બહાર કરવાના રિપોર્ટ્સ કોઈ કાવતરાનો ભાગઃ ઈરાન

ચિંતન રામી | Agencies 20 Jul 2020, 11:47 pm

તેહરાનઃ થોડા દિવસ પહેલા એવા રિપોર્ટ્સ હતા કે ઈરાને ભારતને ચાબહાર રેલ પ્રોજેક્ટમાંથી બહાર કરી દીધું છે. માનવામાં આવી રહ્યું હતું કે ઈરાન-ચીન વચ્ચે થવા જઈ રહેલી 400 અબજ ડોલરની ડીલના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, ઈરાને હવે આ રિપોર્ટ્સનું ખંડન કર્યું છે. ઈરાન તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત ચાબહાર રેલ પ્રોજેક્ટનો ભાગ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

મીડિયાના અહેવાલો કાવતરાનો ભાગ

I am Gujarat vested interests behind reports iran denies dropping india from chabahar rail project
ચાબહાર રેલ પ્રોજેક્ટમાંથી ભારતને બહાર કરવાના રિપોર્ટ્સ કોઈ કાવતરાનો ભાગઃ ઈરાન

ઈરાને તેમ મીડિયા રિપોર્ટ્સનું ખંડન કર્યું છે જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતને ચાબહાર રેલ પ્રોજેક્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યું છે. ઈરાનના ટ્રાન્સપોર્ટ અને રેલવે વિભાગના ડેપ્યુટી મિનિસ્ટર સઈદ રસૌલીએ કહ્યું છે કે આ રિપોર્ટ્સ પાછળ કોઈ કાવતરુ છે. આ રેલ પ્રોજેક્ટ ચાબહાર પોર્ટથી જહેદાન વચ્ચે બનાવવાનો છે.

2022 સુધી પૂરો કરવાનો છે પ્રોજેક્ટ
ગત સપ્તાહે ઈરાનના ટ્રાન્સપોર્ટ અને શહેરી વિકાસ મંત્રી મોહમ્મદ ઈસ્લામીએ 628 કિમી લાંબા રેલવે ટ્રેક બનાવવાનું ઉદ્દઘાટન કર્યું હતું. આ રેલવે લાઈન અફઘાનિસ્તાનની જરાંજ સરહદ સુધી લંબાવાની છે. ધ હિંદુના અહેવાલ પ્રમાણે આ યોજનાને માર્ચ 2022 સુધીમાં પૂરી કરવાની છે. કહેવામાં આવી રહ્યું હતું કે ઈરાને કહેતા ભારતને આ પ્રોજેક્ટમાંથી બહાર કરી દીધું હતું કે ભારત આના માટે ભંડોળ આપી રહ્યું નથી.

2016મા કરવામાં આવ્યો હતો કરાર
વર્ષ 2016મા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈરાનના પ્રવાસે હતા અને આ દરમિયાન આ કરાર થયો હતો. સમગ્ર પ્રોજેક્ટની અંદાજીત કિંમત 1.6 અબજ ડોલર છે. આ પ્રોજેક્ટને પૂરો કરવા માટે ઈરકાનના એન્જિનિયર ઈરાન પણ ગયા હતા પરંતુ અમેરિકાના પ્રતિબંધોના કારણે આ પ્રોજેક્ટ પર કામ શરૂ થયું ન હતું.

લેખક વિશે
ચિંતન રામી
ચિંતન રામી છેલ્લા 16 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેમણે કારકિર્દીની શરૂઆત દિવ્યભાસ્કર.કોમથી કરી હતી. ડિજિટલ મીડિયામાં કારકિર્દીની શરૂઆત કર્યા બાદ તેમણે પ્રિન્ટ મીડિયામાં સ્પોર્ટ્સ રિપોર્ટિંગ અને એડિટિંગ પણ કર્યું છે. તેઓ ડિજિટલ અને પ્રિન્ટ મીડિયાનો બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યારબાદ તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી જ જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી હતી અને પત્રકારના ક્ષેત્રમાં જોડાયા છે. તેઓ દિવ્યભાસ્કર.કોમ અને નવગુજરાત સમય અખબારમાં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો