એપશહેર

કોરોના વાયરસથી દુનિયાને ક્યારે મળશે છૂટકારો? WHOએ જણાવ્યો છે સમય

કોરોના સામે લડી રહેલી દુનિયાને World Health Organizationએ સારા સંકેત આપ્યા છે. WHO ચીફે જણાવ્યું છે કે આ વાયરસ સ્પેનિશ ફ્લૂ કરતા ઓછા સમય માટે રહેશે.

Agencies 22 Aug 2020, 9:23 am
જિનેવાઃ આખી દુનિયા કોરોના વાયરસ સામે લડી રહી છે. આ વાયરસના કારણે લોકોના સામાન્ય જીવ પર તેની વ્યાપક અસર પડી છે. આવામાં વાયરસ ક્યારે પીછો છોડશે તેવો સવાલ સૌ કોઈને થઈ રહ્યા છે. આવામાં World Health Organization (WHO)એ એક મહત્વની વાત કરી છે. WHOના ચીફ ટ્રેડ્રોસ એડહાનોમ (Tedros Adhanom)એ શુક્રવારે સંભાવના વ્યક્ત કરી કે કોરોના વાયરસની અસર 1918માં આવેલા સ્પેનિશ ફ્લૂ કરતા ઓછો સમય રહેશે. WHO ચીફે જણાવ્યું કે આ મહામારી બે વર્ષની અંદર પૂર્ણ થઈ જશે. જોકે તેના માટે દુનિયાના દેશોએ એક થઈને સર્વસામાન્ય વેક્સીન વેક્સીન બનાવવામાં સફળતા મળે તેના પર ભાર મૂક્યો છે.
I am Gujarat who chief tedros adhanom said about when coronavirus pandemic end
કોરોના વાયરસથી દુનિયાને ક્યારે મળશે છૂટકારો? WHOએ જણાવ્યો છે સમય


હજુ સુધી કોરોના વાયરસ સામે લડનારી રસી ઉપલબ્ધ નથી થઈ, એવામાં WHO ચીનની આ ટિપ્પણી મહત્વપૂર્ણ છે. અત્યાર સુધી WHO દ્વારા મહામારીના ખતમ થવા અંગે કોઈ સમયસીમા નહોતી આપવામાં આવી.

ટ્રેડોસે કહ્યું કે 1918માં સ્પેનિશ ફ્લુને ખતમ થતા 2 વર્ષ જેટલો સમય લાગશે. જિનેવામાં એક બ્રીફિંગ દરમિયાન તેમણે કહ્યું, "આજની પરિસ્થિતિમાં જ્યારે વધારે ટેક્નોલોજી અને કેનેક્ટિવિટી છે જેના કારણે વાયરસ પાસે વધારે ફેલાવાની તક છે. આપણે એકબીજા સાથે વધારે નજીકથી જોડાયેલા છે માટે તેની ગતિ વધી છે."

આ પણ વાંચોઃ ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસ 30 લાખની નજીક, 16 દિવસમાં 10 લાખ કેસ

તેમણે એ પણ કહ્યું કે, પરંતુ આ સમયે આપણી પાસે તેને રોકવા માટેની ટેક્નિક પણ છે અને જ્ઞાન પ છે, જેના આધારે વાયરસને હરાવી શકાય છે. આ સમયમાં વૈશ્વિકતા, ઘનિષ્ઠતા, સંપર્કથી નુકસાન તો છે પણ તેની સામે લડવા માટેની ટેક્નિક હોવાથી ફાયદો પણ થાય છે. આ સાથે તેમણે કહ્યું, હાલ આપણી પાસે જે સાધનો છે તેનો ઉપયોગ કરીએ, અને આશા વ્યક્ત કરીએ કે આપણી પાસે વેક્સીન પણ હોય, જેથી આપણે 1918ના ફ્લૂ કરતા ઓછા સમયમાં તેને ખતમ કરી શકીએ.

કોરોના વાયરસની મહામારીના કારણે 8 લાખ લોકોના મોત થઈ ગયા છે અને દુનિયાભરમાં લગભગ 2.3 કરોડ લોકો સંક્રમિત થયા છે. આધુનિક ઇતિહાસમાં સૌથી ઘાતક મહામારી સ્પેનિશ ફ્લૂ હતી, જેમાં 5 કરોડ લોકોના જીવ ગયા હતા અને દુનિયાભરમાં લગભગ 50 કરોડ લોકો સંક્રમિત થયા.

પ્રથમ વિશ્વ યુદ્ધની સરખામણીમાં સ્પેનિશ ફ્લૂમાં 5 ગણા વધુ લોકોના મોત થયા હતા. જેનો પહેલો કેસ અમેરિકામાં મળ્યો હતો, પછી યુરોપમાં તે ફેલાયો અને પછી આખી દુનિયામાં ફેલાયો. આ મહામારી ત્રણ તબક્કામાં આવી હતી. બીજા તબક્કામાં તે વધારે ઘાતક હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો